॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૭: નટની માયાનું

નિરૂપણ

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, “દેહ છતાં બ્રહ્મરૂપ કેવી રીતે થવાય?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “પંચાળા ૭માં કહ્યું કે અક્ષરધામ ભગવાનનું સ્વરૂપ છે, ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્’ મુજબ ગુણાતીત મૂળ અક્ષર – પરમ સત્ય સ્વરૂપ છે અને મહારાજ તો વ્યતિરેક, પરના પર રહે છે. તેના સ્વરૂપનો એટલે ગુણાતીતનો મહિમા જાણીએ ત્યારે જ જેવો છે એવો યથાર્થ મહારાજનો મહિમા સમજાય. ગુણાતીતના સંગે બ્રહ્મરૂપ થાય ત્યારે જ પરબ્રહ્મની સેવાનો અધિકારી બને.”

[યોગીવાણી: ૨૫/૪૩]

Yogiji Mahārāj was asked a question, “How can one become brahmarup while possessing the body?”

Yogiji Mahārāj answered, “In Panchālā 7, Mahārāj has said Akshardhām is God’s form, according to ‘Dhāmnā svena sadā nirastakuhakam...’. Gunātitānand Swāmi is Mul Akshar - an eternal form. And Mahārāj is distinct from all and transcend that which transcends all. To understand his mahimā, we must understand the mahimā of the Gunātit Sant, only then will we thoroughly understand Mahārāj’s mahimā. When one becomes brahmarup by associating with the Gunātit Sant, we will become worthy of serving Parabrahma.

[Yogi Vāni: 25/43]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, ત્યારે નર-નાટક કરે છે. પંચાળા ૭ પ્રમાણે. તેમાં પણ આપણે નટના સ્ત્રી-છોકરાં થઈ જઈએ તો એ માયા કળાય, પણ સભાજન થઈએ તો એ માયા કળાય નહીં. તેમ ભગવાન કે મોટાપુરુષના સંબંધી થઈએ, તો જ આપણે ભગવાનનું સ્વરૂપ જેવું હોય તેવું ઓળખી શકીએ. તે સિવાય તો ઓળખાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૦૯]

Yogiji Mahārāj said, “When God incarnates on the earth, he puts on a show like a magician, according to Panchālā 7. If we become the wife or children of the magician, then we will see through his magic tricks. However, if we become his audience, we will not see through his magic tricks. Similarly, if we become the relatives of God or the Motā-Purush, then we will be able to recognize God’s form; otherwise, we will never be able to recognize him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/109]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase